સાંતાસિંહ અને તેની વાતો….


santa-banta1

 

સાંતાસિંહને એક વખત કોઇયે પુછ્યુ “હાડપિંજર એટલે શુ?”, સાંતાસિંહ કહે કે એક એવો માણસ કે જેને ડાયટીંગ તો શરુ કરી દીધ છે પણ બંધ કરવાનુ ભુલી ગયો છે.

=============================================================

જેલમા સાંતાસિંહને એક જેલર કહે, કાલે સવારે ૫ વાગ્યે તને ફાંસી આપવામા આવશે.

સાંભળીને સાંતાસિંહ હસવા લાગ્યો, જેલર કહે, કેમ શુ થયુ? બહુ ખુશ છે ફાંસીની ખબર સાંભળીને?

સાંતાસિંહ કહે ના, હુ એટલે ખુશ છુ કેમકે હુ તો સવારે ૮ વાગ્યે ઉઠુ છુ…

=============================================================

સાંતાસિંહ તેના નોકરને  કહે ” જા અને બગીચામા પાણી પાઇ આવ..”

નોકર કહે, સાહેબ બહાર વરસાદ આવે જ છે.

સાંતાસિંહ કહે તો એવુ હોય તો છત્રી લઇને જા….

==============================================================

થોડા નવા ટુચકાઓ……


એક ભાઇ સાંતાસિહને કહેઃ ” સાંતાસિહ .. મચ્છરને મારવાનો સરળ રસ્તો કહો!!”

સાંતાસિહ કહે આમ તો ઘણા રસ્તા છે, પણ સૌથી સરળ પહેલા મચ્છરને જીવતો પકડો, તેના બને પગ પકડીને ઉંધો લટકાવો…, તેના પેટમા ગલી ગલી કરો, અને જેવો તે હસે ને તેનુ મોઢુ ખુલે તેમા ઝેર નાખી દો….

=============================================================

એક વખત એક દેડકો તેનુ ભવિસ્ય જાણવા જ્યોતિષ પાસે જાય છે, જ્યોતિષ કહે તને જલ્દીજ એક સરસ યુવાન છોકરી મળશે કે જે તારા વિશે બધુ જ જાણવા આતુર હશે…

દેડકો તો ખુશ થઇ ગયો અને કહે, જલ્દિ કહો એ ક્યારે અને ક્યા મળશે?

જ્યોતિષ કહે, હવે કોલેજમા જે સેમેસ્ટર ચાલુ થશે ત્યારે, બાયોલોજીની લેબમા…..

સાંતાસિંહના ઇન્ટર્વ્યુ……


 

સાંતાસિંહને ઇન્ટર્વ્યુ વખતે મેનેજર કહેઃ “તારો જન્મ દિવસ?”, સાંતાસિંહ કહે “૧૩ ઓક્ટોબર”, મેનેજર કહે “ક્યા વર્ષમા?”, સાંતાસિંહ ગુસ્સે થઇને કહે અરે સાહેબ બુધ્ધિ છે કે નહિ.. દરેક વર્ષે આવે છે….

==============================================================

એક ટુરીસ્ટ સાંતાસિંહના ગામમા ફરવા આવ્યો, સાંતાસિંહને પુછ્યુ “અહિ કોઇ મહાન માણસ નો જજ્મ થયો છે?”, સાંતાસિંહ કહે “ના ભાઇ અહિ તો અત્યાર સુધીમા બધા બાળકો જ જન્મ્યા છે..”

==============================================================

સાંતાસિંહને ઇન્ટર્વ્યુમા પુછ્યુઃ “વીચાર કરો કે તમે ૫ મા માળ પર ઉભા છો અને ત્યા આગ લાગે, તો તમે શુ કરશો?”
સાંતાસિંહ કહેઃ “અરે સાહેબ હુ એ જ ઘડીયે આવુ વિચારવાનુ બંધ કરી દઇશ…”

બોલો તા રા રા રા…….

સાંતાસિહ આવી ગયા છે……


 

સાંતાસિહ એક વખત ન્યુ યોર્કના એક બારમા બેઠા હતા..  તેની જમણી બાજુ બેઠેલા માણસે વેઇટરને કહ્યુ “જોહ્ની વોકર સીંગલ…”,

તેની ડાબી બાજુના માણસે વેઇટરને કહ્યુ “પિટર સ્કોચ સીંગલ…”…

આપણા સાંતાસિહે કહ્યુ “સાંતાસિહ મેરીડ…”

================================================================

એક વખત સાંતાસિહ એક ડ્રાઇવરની જોબ માટે ઇન્ટર્વ્યુ આપવા ગયા અને બધુ બરાબર રહ્યુ અને શેઠ કહે “તમારો સ્ટાર્ટીંગ નો પગાર ૨૦૦૦ રુ. રહેશે, તમને મંજુર છે?”

સાંતાસિહ કહે “તમે મહાન છો સાહેબ , મને સ્ટાર્ટીંગ નો પગાર મંજુર છે, પણ એ તો કહો કે ડ્રાઇવીંગ કરવાના કેટલા મલશે???”

================================================================

એક વખત સાંતાસિહ ને એનો એક મિત્ર વાતો કરતા હતા, મિત્ર કહે “સાંતાસિહ તને શુ લાગે છે? સુર્ય વધારે મહત્વનો છે કે ચન્દ્ર??”

સાંતાસિહે થોડો વિચાર તો કર્યો અને કહેઃ “ચન્દ્ર વધારે મહત્વનો કેમકે ચન્દ્ર આપણને રાત્રે પ્રકાશ પુરુ પાડે છે કે જ્યારે અંધારુ હોય અને ખરેખર તેની જરુર હોય્…. જ્યારે સુર્ય તો દીવસે પ્રકાશ આપે છે કે જેની કોઇ જરુર જ નથી .. દિવસે તો કેટલો પ્રકાશ હોય છે…”

બોલો તા રા રા રા………